Articles

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું ગુજરાતની શ્રેષ્ઠ ચાર યુનિવર્સિટીમાં સ્થાન

તાજેતરમાં ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા દેશની તમામ યુનિવર્સિટીઓનું એન.આર.આઈ.એફ. રેન્કીંગ બહાર પાડવામાં આવેલ. આ રેન્કીંગમાં ૧ થી ૧૫૦ રેન્કમાં ગુજરાતની માત્ર ચાર યુનિવર્સિટીઓનો સમાવેશ થયેલ, જેમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સામેલ છે. આ ઉપરાંત અન્ય ત્રણ યુનિવર્સિટીઓમાં આઈ.આઈ.ટી., ગાંધીનગર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ અને ગુજરાત યુનિવર્સિટી, ગાંધીનગરનો સમાવેશ થયેલ છે. આ સિધ્ધિ બદલ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. એ.આર.પાઠકે તમામ શિક્ષકો, વૈજ્ઞાનિકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓને બિરદાવેલ.