Sorry, your browser does not support JavaScript!

Online application for seeds (બિયારણ મેળવવા માટેની ઓનલાઈન અરજી)

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી - જૂનાગઢ

ખરીફ-૨૦૨૪ માટે યુનિવર્સિટી ઉત્પાદીત તુવેર, અડદ, તલ અને દિવેલાના સર્ટીફાઈડ/ટ્રુથફૂલ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી

ઓનલાઈન અરજી ભરવા માટે ની જરૂરી શરતો : ઓનલાઈન અરજી તથા પ્રિન્ટ કાઢવાની છેલ્લી તારીખ ૧૮-૦૫-૨૦૨૪ છે.
  • 1) ખાતેદાર ખેડૂતોના "૮-(અ)" માં નોંધાયેલ નામો પૈકી કોઈ ૫ણ એક ખેડૂત ખાતેદાર પોતાના આધારકાર્ડ સાથે એક જ અરજી કરી શકશે. જો એક કરતાં વધારે અરજી માલુમ ૫ડશે તો વધારાની બધી જ અરજીઓ રદ્દ કરવામાં આવશે.
  • 2) તુવેર, અડદ, તલ અને દિવેલાના બિયારણની નોંધણી માટેની અરજી ફકત ઓનલાઈન જ સ્‍વીકારવામાં આવશે.
  • 3) આગામી ખરીફ-૨૦૨૪ ઋતુમાં ખેડૂતમિત્રોને વાવેતર માટે તુવેરમાં GJP-1, અડદમાં GU-2 નું સર્ટીફાઈડ/ટ્રુથફૂલ તથા તલમાં GT-6, દિવેલામાં GCH-9 જાતનું ટ્રુથફુલ બિયારણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે ઉપલબ્ધ હોઈ ખેડૂતમિત્રો પોતાની જરૂરિયાત મુજબ ઉપરોક્ત પાકો અને જાતો પૈકી કોઈ પણ એક પાકની એક જાતના બિયારણ માટે અરજી કરી શકશે. જે જાત માટે અરજી કરી હશે તેજ જાતનું બિયારણ મળવાપાત્ર થશે. ખેડૂત મિત્રોએ અરજીમાં જે જાત માટે ઓનલાઈન અરજી કરી હશે તેજ જાતનું બિયારણ આપનો નંબર આવે ત્યાં સુધી અથવા જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી આપની ઓનલાઈન અરજી મુજબ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં તુવેર અને અડદમાં ૨૦ બેગ (૪૦ કિ.ગ્રા.), તથા તલમાં ૫ બેગ ( ૫ કિ.ગ્રા.) અને દિવેલામાં ૫ બેગ (૧૦ કિ.ગ્રા.) સુધી મળવાપાત્ર થશે.
  • 4) ખેડૂતમિત્રોની જેમની અરજી મંજુર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર ઉપર બિયારણના વેચાણ/વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે. બિયારણ બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ (મેગાસીડ), કૃષિ મહાવિદ્યાલય, જૂ.કૃ.યુ., જૂનાગઢ ખાતે લેવા આવવાનું રહેશે.
  • 5) ઓનલાઈન અરજીની નોંધણી થયા બાદ ઓનલાઈન પાવતીની પ્રિન્‍ટ કાઢીને તેમાં અરજદારે સહી કરવી અને બિયારણ લેવા આવતી વખતે પાવતી જમા કરાવવાની રહેશે.
  • 6) બિયારણ ખરીદી માટે ખેડૂતમિત્રોને ફાળવવામાં આવેલ તારીખો એ જ બિયારણ મળશે. એટલે કે ખેડૂતમિત્રોને જે તારીખો બિયારણ લેવા આવવા માટે ફાળવવામાં આવે તે તારીખો એ જ લઈ જવાનું રહેશે. અન્‍યથા તે તારીખ બાદ ખેડૂતમિત્રની અરજી અમાન્‍ય ગણવામાં આવશે અને તે ખેડૂતને ત્‍યારબાદ બિયારણ ખરીદીનો લાભ આ૫વામાં આવશે નહીં.
  • 7) બિયારણની ફાળવણી માટે આપના દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીની ચકાસણી બાદ અધિકૃત કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમથી રેન્ડમાઈઝેશન (ડ્રો) કરવામાં આવશે અને તે મુજબ બિયારણ વિતરણ કરવામાં આવશે. પાછળથી કોઈ પણ દાવો ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.
  • 8) અરજીમાં તુવેર, અડદ, તલ અને દિવેલાની જાતની નોંધણી એક વાર થઇ ગયા પછી તેમાં સુધારો થઇ શકશે નહિ. જયારે તે સિવાયની ભૂલ રહી ગઈ હશે તો તે અરજી કરવાના સમયગાળા દરમ્યાન સુધારી શકશે.
  • 9) જે ખેડૂતમિત્રોએ ખરીફ-૨૦૨૪ ઋતુમાં વાવેતર માટે ઓનલાઈન અરજી કરી હોય તેઓએ જૂ.કૃ.યુ.ની વેબસાઈટ www.jau.in પર બિયારણ વિતરણ અને પાકના ભાવ સબંધિત માહિતી માટે જોતા રહેવું.

બિયારણ માટેની માહિતીમાટે આ નંબર પર ફોન કરવો. (કામકાજ ના સમય દરમ્યાન) મેગાસીડ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી,જૂનાગઢ : (0285)2677450 / 2675070
ઓનલાઈન કરેલી અરજીની ફરીથી પ્રિન્ટ માટે અહિયાં દબાવો

પ્રથમ વખત અરજી કરવા નીચે મુજબની માહિતી ભરવી તે પૈકી લાલ (*) નિશાની કરેલ દરેક બોક્ષ ફરજીયાત ભરવાના રહેશે.

ખેડૂત ની વ્યક્તિગત માહિતી : દરેક માહિતી કાળજીપૂર્વક અનેચોક્સાઇ પણે ભરવી.
બિયારણ અને બેંકની માહિતી
પોતે ખેડૂત હોવાના પુરાવા : (૮અ પ્રમાણે જે ગામમાં જમીન હોય તે ગામ અને ખાતા નંબર)
સોગંધ નામું:

બિયારણ મેળવવાની નોધણી માટેની ઓનલાઈન અરજી તા.૦૯-૦૫-૨૦૨૪ ના સવારે ૯:૦૦ કલાક થી તા.૧૮-૦૫-૨૦૨૪ રાત્રીના ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેશે.

બિયારણ માટેની માહિતીમાટે આ નંબર પર ફોન કરવો. (કામકાજ ના સમય દરમ્યાન) મેગાસીડ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી,જૂનાગઢ : (0285)2677450 / 2675070 .
ફોર્મ ભરતી વખતે તકનીકી મુશ્કેલી આવે તો આ નંબર પર ફોન કરવો. (કામકાજ ના સમય દરમ્યાન) આઇટી સેલ , જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ: (0285)2672080-90

Copyright (c) 2020, Junagadh Agricultural University.Developed and Powered by Information Technology Cell, JAU.